મોરબીના રવાપર રોડ પર સાધના કોમ્પ્લેકસમાં આવેલા આર્ટ ઓફ લીવીંગ સેન્ટર હોલ ખાતે 22 અને 23 અપ્રિલના રોજ સાંજે 4 થી 6 દરમિયાન નારી પ્રશીક્ષણ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 22 અપ્રિલના રોજ મહિલા સંમેલન અને 23 અપ્રિલના રોજ યુવા મહિલા સંમેલન યોજાશે. આ સત્રમાં નારી શ્રેષ્ઠ શા માટે? નારી શકિત શું કરી શકે? નારીનું આ સમાજ અને રાષ્ટ્ર માટે શું યોગદાન છે? આ વિષય પર આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી-હરિયાણાના અંજલીબેન આર્ય સચોટ માર્ગદર્શન આપશે. તો આ નારી પ્રશીક્ષણ સત્રમાં મહિલાઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.

