મોરબીના ખાખરાળાં ગામમાં આવેલ પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા તા. 02/05/2025ને શુક્રવારના રોજ સવારે 8.00 વાગ્યે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શતાબ્દી મહોત્સવ, ગુરુ વંદના અને સ્નેહમિલન જેવા કાર્યક્રમ નું આયોજન ખાખરાળાં ગામ સમસ્ત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં અભ્યાસ કરીને ગયેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ ન્યુઝના માધ્યમથી આમંત્રણ પાઠવવામાં આવે છે. તેમજ આ શાળામાં જે આચાર્ય અને શિક્ષકો એ સેવા આપી છે એ તમામ ને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમમા મહા મંડલેશ્વર 1008 પરમ પૂજ્ય માં કનકેશ્વરીદેવીજી(ખોખરાધામ-બેલા), તેમજ મૂળ ખાખરાળાંના અને આધ્યાત્મિક ગુરુ અને જેમના અઢળક પુસ્તકોથી આપણે સૌને આધ્યાત્મિક અને યોગનું માર્ગદર્શન મળે છે તેવા શાંતિ નિકેતન આશ્રમ – જોધપર ના પરમ પૂજ્ય ભાણદેવજી મહારાજ, નકલંક મંદિર – બગથળાના પરમ પૂજ્ય મહંત દામજી ભગતની પ્રેરક ઉપસ્થિતી છે અને હાજર શ્રોતાને આશીર્વચન આપશે. જો આપ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ આચાર્ય કે શિક્ષક રહી ચુક્યા હોઈ અને આપ ઉપસ્થિત રહેવા ઇચ્છતા હોઈ તો અને તો જ કાર્યક્રમ માં આપનું રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર 9898643235 અને 9879035089 પર ચોક્કસ કરાવશો.
ભૂતપૂર્વ આચાર્ય કે શિક્ષક જો હૈયાત ના હોઈ તો તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આ સન્માન માટે હાજર રહેવા જણાવવામાં આવે છે.