મોરબી તાલુકાના શિવનગર ગામમાં આવેલા રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં સેવા પૂજા શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું આ ઉપરાંત ગામના યુવક મંડળોએ બીમાર દર્દીઓના લાભાર્થે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુવકો ઉત્સાહ પૂર્વક રક્તદાન કર્યું હતું સાંજ સુધીમાં કુલ 42 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું આ ઉપરાંત ગ્રામજનો માટે સમૂહ ભોજન પણ રાખવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
