મોરબીના ભડીયાદ જવાહર સોસાયટીમાં રહેતા જગુબેન ભગવાનજીભાઈ સનાળીયાની પૌત્રી આરતીબેન ઘરેથી પ્રેમ લગ્ન કરી ભાગી ગયેલ હોય જે બાબતે જગુબેનના દિકરાને તથા પૌત્રીની સાસરીયા સાથે સવારના બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી સુમીતભાઈ હસમુખભાઈ અને પીયુષભાઈ હસમુખભાઈ તેમના ઘરે પહોચ્યા હતા અને જગુબેનને લાકડાના ધોકા વડે ડાબા હાથે મારતા ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેકચર જેવી ઈજા અને પૌત્ર સાહેદ પ્રદિપને માથાના ભાગે લાકડાનો ધોકો મારી અને ફરી.ના દિકરા મહેન્દ્રભાઈને મુંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે જગુબેને મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં બે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.