ટંકારા ના મોટા રામપર ગામે બિરાજતા સ્વયંભૂ નારીચાણીયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે હનુમાનજી જન્મોત્સવ ચૈત્ર સુદ પૂનમને શનિવાર તારીખ 12/4/2025ના રોજ હર્ષ ઉલ્લાસ સાથે ધામ ધુમપુર્વક ઉજવવામાં આવશે. યજ્ઞ બટુક ભોજન બ્રહ્મ ચોરાસી તથા સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, તો દરેક ગામજનો, સેવકગણ, તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા મહા પ્રસાદનો લાભ લેવા વિનંતી યજ્ઞ સવારે સાત વાગ્યે બટુક ભોજન સવારે નવ વાગ્યે બ્રહ્મ ચોરાસી તથા સમૂહ મહા પ્રસાદ બપોરે અગ્યાર કલાકે રાખેલ છે. આ આયોજન ગામજનો તથા સેવક ગણ તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન કરવા તથા પ્રસાદ લેવા પધારવા જગ્યાના મહંત ભરતદાસબાપુ કુબાવતની યાદીમાં જાણવામાં આવ્યું છે.

