મોરબી- રેલ્વે સ્ટેશન નજીક આવેલ બૌધનગર વિસ્તારમાં રહેતા હેતલબેન ઉર્ફે હીનાબેન અશોકભાઇ સોલંકી નામના પરિણતાએ ગઈકાલના રોજ પોતાના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ કરી, પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણતાનો લગ્ન ગાળો ચાર વર્ષનો હોવાનું સામે આવ્યું હતું.

