મોરબીના ઉમા ટાઉનશીપ પાછળ આવેલ શિવપાર્કમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની આશાબેન ચેતનભાઇ જેજરીયાનો લગ્ન ગાળો આશરે દોઢ વર્ષનો હોય અને તેના માવતરે આવરો-જાવરો ન હોય જેથી આશાબેન તેના મમ્મી સાથે વાત કરતી હોય જેથી તેના પતિએ માવતરમાં વાત નહી કરવાનું કહી ઠપકો આપતા આશબેનને લાગી આવતા ગઈકાલના રોજ પરિણતાએ ચુંદડી વડે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

