મોરબીના લીલાપર રોડ આવેલ ઓમકાર રેસીડેન્સીમાં રહેતા સંજયભાઈ આપાભાઈ ગરચર નામનો યુવાન છેલ્લા બે-અઢી મહીનાથી જેલમાં હોઇ અને ગઇકાલ સાજે છુટીને ઘરે આવતા ટેન્સનમાં હોઇ જેના કારણે મનમાં લાગી આવતા ગઇકાલ રાત્રીના ઓમકાર રેસીડેન્સીના ફ્લેટ ઉપરથી નીચે પડી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

