ગોંડલના સહજાનંદ નગર વિસ્તારમાં ગરબી ચોક પાસે આવેલા બે માળના મકાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક મકાન ધરાશાયી થયું. આ દુર્ઘટનામાં એક પુરુષ અને બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિઓ કાટમાળમાં દબાઈ ગયાં. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે JCB મશીનની મદદથી બચાવ કામગીરી શરૂ કરી. આ ઘટનામાં સુનિલભાઈ વરધાણી અને તેમના પત્ની ઉષાબેન વરધાણી હજુ કટમાંળમાં દબાયેલ છે. તેમના માતા મિતાબેન વરધાણીને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાના સમાચાર મળતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા. તેમજ હજુ કટમાંળમાં દબાયેલ બે વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.


