માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા અમુભાઈ નરસંગભાઈ બાલસરા નામના વૃદ્ધને ગત તા.-10/01/2025ના રોજ સવારના આશરે ચારેક વાગ્યાના અરશામાં પોતે પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં એકદમ દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ મામલે માળિયા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી છે.

