Monday, May 12, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં 2.78 લાખ રાશનકાર્ડમાંથી 1.09 લાખ કાર્ડ રાશન કાર્ડના E-KYC બાકી 

મોરબી જિલ્લામાં 2.78 લાખ રાશનકાર્ડમાંથી 1.09 લાખ કાર્ડ રાશન કાર્ડના E-KYC બાકી 

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં રાશનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવા અને ઈ કેવાયસી કરવાની કામગીરી ચાલી રહી છે. તેને લઇ તંત્ર દ્વારા અલગ અલગ સેન્ટરમાં કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યમાં તેની અલગ-અલગ 21થી વધુ યોજના આધાર અને રાશનકાર્ડના ડેટા સાથે જોડવાનું આયોજન કરી રહી છે અને જો ભવિષ્યમાં આ ઈ કેવાયસી નહી કરેલું હોય તો આ 21 યોજનામાં પણ અસર થઈ શકે છે.

તેથી તંત્ર દ્વારા વધુને વધુ લોકો ઈ કેવાયસી કરવામાં આવે તે જરૂરી છે, જો કે આ કામગીરીમાં જાણે રાશન-કાર્ડ ધારકોને રસ ન હોય તેમ પોતાના મોબાઈલથી ઘરે બેઠા આં કામગીરી કરી શકે તેટલી સુવિધા મળતી હોવા છતાં હજુ માત્ર 61 ટકા જ કામગીરી થઇ છે. મોરબી જિલ્લામાં આજની સ્થિતિએ 2,78,031 રાશનકાર્ડ ચાલુ છે અને તેમાં 11,74,099 સભ્યો નોધાયેલ છે. જોકે તેમાંથી આજ દિન સુધીમાં 1,68,494 રાશન કાર્ડ અને 5,68,262 સભ્યોના ઈ કેવાયસી થયા છે. જોકે હજુ પણ 1,09,537 રાશન કાર્ડ અને 6,05,637 સભ્યોના ઈ કેવાયસી કરવાના બાકી છે. ટકાવારી મુજબ જોઈએ તો હજુ પણ 39 ટકા રાશન કાર્ડ ઈ કેવાયસી કરવાના બાકી છે. અગત્યની વાત એ છે કે ઈ કેવાયસી કરવાની મુદત  તંત્ર દ્વારા ૨૫ ડિસેમ્બર નક્કી કરાઈ છે. જોકે હાલ સ્થિતિ જોતા આ આ ડેડ લાઈનમાં કેવાયસી થશે કે કેમ તે પણ મોટા સવાલ છે.

રાશન કાર્ડમાં નોધાયેલ તમામ સભ્યોનું કેવાયસી કરવું ફરજીયાત છે. રાશન કાર્ડ ઈ કેવાયસી કામગીરીમાટે પરિવારના એક બે સભ્ય ના ઈ કેવાયસી કરવાની કામગીરી અટકી જતી નથી. જયારે રાશનકાર્ડ માં હાજર તમામ સભ્યોનું ઈ કેવાયસી કરવામાં આવશે ત્યારે જ કામગીરી પૂર્ણ થઇ ગણાશે. જેથી તમામ સભ્યોના ઈ કેવાયસી કરવા ફરજીયાત છે જો તમામ સભ્યોનું કેવાયસી નહી થયું હોય તો રાશનકાર્ડ સંપૂર્ણ અપડેટ થયેલું ગણાશે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,961FollowersFollow
2,880SubscribersSubscribe

TRENDING NOW