HomeGujaratમોરબીના વાવડી ચોકડી પાસે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો,પોલીસે સેલ્સ એજન્સીના પૂર્વ કર્મીની...

મોરબીના વાવડી ચોકડી પાસે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો,પોલીસે સેલ્સ એજન્સીના પૂર્વ કર્મીની કરી ધરપકડ

મોરબી શહેર નજીક આવેલા બાયપાસ પાસે બે દિવસ પહેલા મૂળ પોરબંદરના ઓડદર ગામના વતની અને રાધિકા સેલ્સ એજન્સીમાં વેફર ના હોલસેલ ફેરા કરતા યુવક રાજેશ કાંતિલાલ જોશીની લોથલ પદાર્થના ગાજી કી હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી હતી આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એચએ જાડેજા પીએસઆઇ એવી પાતળીયા એ.એસ.આઇ રાજદિપસિંહ રાણા તેમજ કિશોરભાઈ મકવાણા કિશોરભાઈ મિયાત્રા ધર્મેન્દ્રભાઈ વાંદડિયા સિદ્ધરાજસિંહ જાડેજા અરજણભાઈ ગોરીયા કપિલભાઈ ગુર્જર રાજદીપસિંહ ઝાલા રાજેશભાઈ કાનગડ સહિતના ની અલગ. અલગ ટીમ બનાવી હતી અને આરોપી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા રૂટ પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ઘટના સ્થળ ની આસપાસ એક શંકાસ્પદની હરકત જોવા મળી હતી  આરોપીના ફૂટેજ થી પોલીસે ફરિયાદી યુવકને બતાવતા આં શખ્સને ઓળખી બતાવ્યો હતો આ શખ્સનું નામ યશપાલસિંહ ભગીરથ સિંહ જાડેજા હોય અને અગાઉ રાધિકા સેલ્સ એજન્સીમાં હાલ રાજેશ જોષી જે રૂટ પર વાહન ચલાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી એ ડિવિઝન પોલીસે આં શખ્સની શોધખોળ હાથ ધરી હતી અને તેને ઝડપી લઇ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા ચોકાઉનાર ખુલાસો કર્યો હતો આરોપી યશવંત સિંહ અગાઉ રાધિકા સેલ્સ એજન્સીમાં  રાજેશ જે  રૂટ પર જ અગાઉ વાહન ચલાવતો હતો પરંતુ મેડિકલ કારણોસર તેને કામગીરી છોડી દીધી હતી જો ક ફરીથી આ કામગીરી શરૂ કરવા માગતો હોય પરંતુ રાજેશ જોશી એ કામગીરી ન છોડવાનું કહેતા રાજેશ દ્વારા ના પાડવામાં આવી હતી  જેથી તેણે વાવડી ચોકડી પાસે  ભેગા થયા હતા જ્યાં બંને વચ્ચે ઝઘડો થતાં આરોપી યશપાલસિંહ જાડેજાએ પથ્થરના ઘા કી રાજેશ ની હત્યા કરી નાખી હતી આરોપીની કબૂલાત આધારે પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW