મોરબીના લાલપર ગામે રહેતા બેચરભાઇ દુર્લભજીભાઇ પ્રજાપતિ નામના યુવાને ગઈકાલના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તે યુવાનને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

