મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ નજીક આવેલ શાંતીવન સોસાયટીમાં રહેતા અને મૂળ ઓડીશાના વતની રાકેશભાઈ ગોબર્ધનભાઈ પેન્થોઈને આરોપીએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા ધીરી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક સહીવાળા પાંચ કોરા ચેકો લઇ ફરીયાદી પાસે આરોપીએ વ્યાજના વધુ રૂપીયાની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી ફોનમા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે મામલે કેશભાઈ ગોબર્ધનભાઈ પેન્થોઈએ આરોપી જયેશભાઇ વિનોદભાઇ કાનાબાર વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

