સુરેન્દ્રનગરના ઢાકી સંપથી નીકળતી ધ્રાંગધ્રા હળવદ મોરબી બ્રાંચની નર્મદા કેનાલમાંથી ખેડૂતોને શિયાળુ પાક માટે આગામી ગુરુવારથી પાણી છોડવામાં આવશે તેવી ઘ્રાગધ્રા હળવદના ધારાસભય પ્રકાશ વરમોરા દ્વારા જાહેરાત કરવામાં આવી હતીઅને ખેડૂતોની વાહવાહી મેળવી લીધી હતી જોકે આ જાહેરાત ગુરુવારે ખોટી સાબિત તથા જે ખેડૂતો પાણી મળ્યા બાદ શિયાળુ પાકનું વાવેતર કરવાની રાહ જોઈ રહેલા ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું હતું ખેડૂતો મોંઘા બિયારણ અને ખાતર લઇ તૈયાર બેઠા હત પરંતુ ગુરુવાર સાંજ સુધી પાણી નહી આવતા ખેડૂતોનો ઉત્સાહ મોળો પડી ગયો હતો અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે રોષ ફાટી નીકળ્યો હતો

