મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગરમાં ગાયત્રીચોક પાછળ રહેતા ફરિયાદી રણછોડભાઈ વનજીભાઈ કાચરોલાએ આરોપી હંસરાજ કાવર તેમજ જીગ્નેશ હંસરાજ કાવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની ગેલેરીમાં આવેલ બારીમાંથી કોઈપણ આવી જઈ શકે તેમ હોવાથી દીવાલમાં ઈન્ગલ લગાવી છાપરું કરતા હતા. ત્યારે આરોપીઓએ આવી ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે રણછોડભાઈએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં તે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

