ચાલુ વર્ષે ચોમાસા દરમીયાન પડેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોડ ધોવાઇ જવાની ફરિયાદ ઉઠી હતી જે બાદ મોરબી માળિયા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા દ્વારા કરાયેલા રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા ના પંચાયત વિભાગ દ્વરા મોરબી તાલુકાના બેલા થી શનાળા (ત )બે જોડતા રોડ, નાના ભેલાથી તરઘરી ગણે જોડતો રોડ, સ્ટેટ હાઈવે થી નાંના દહીસરા ગામને જોડતો રોડ તેમજ સરવડ દેરાળાને જોડતા માટે કુલ ૧.૮૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે આ તમામ રોડ સુવિધાપથ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવશે જેના કારણે આ 8થી વધુ ગામના લોકોને ખખડધજ રોડ માંથી રાહત મળશે

