માળિયા-હળવદ ત્રણ રસ્તા પાસે આવેલ ભેરુનાથ હોટ્લમાં કામ કરતા કેશવલાલ હેરાજી મીણા નામના કર્મચારીએ ગત તા.-17/06 ના રોજ આઠ વાગ્યાની આસપાસ કોઈ કારણસર ભૈરુનાથ હોટ્લ ના સ્ટાફ રુમમા ગળે ફાસો ખાઇ લેતા તેના પરિવારજનો દ્વારા તેને પી એમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ડો. કે બી ડાકા એ આ બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.માળીયા પોલીસે મુત્યુ અંગે નોધી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

