માળીયા (મી) : માળિયા તાલુકાના વર્ષામેડી ગામે આજે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલ ત્રણ બાળકો ડૂબી જતાં ત્રણેય બાળકોના મોત નિપજ્યા.
મોરબીમાં દિવસે ને દિવસે પાણીમાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે મચ્છુ નદીમાં સાત બાળકો ન્હાવા ગયા હતા જેમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા તે ઘટનાને હજુ અઠવાડિયુ પણ નથી થયું ત્યાં માળિયા તાલુકાના વર્ષામેડી ગામે આજે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલ ત્રણ બાળકો મેહુલભાઈ ભૂપતભાઇ મહાલિયા (ઉ.વ.10), શૈલેષભાઈ અમશીભાઈ ચાવડા (ઉ.વ.8) અને ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.12) નું તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું.

