લોક્ સભા ચૂંટણી દરમિયાન અલગ અલગ વિસ્તારમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી લક્ષી કામગીરી સોપવામાં આવી હતી જેમાં અલગ અલગ સ્થળેથી ફરજ પર બેદરકારી દાખવવામાં આવી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી જેને લઇ જે તે વિધાનસભાના આસી રીટર્નીંગ ઓફિસર દ્વારા નોટીસ પાઠવામાં આવી રહી છે ત્યારે ટંકારા પડધરી વિધાનસભાના આસી. રીટર્નીંગ ઓફિસર સુબોધ દૂધકિયા દ્વારા એલ ઈ કોલેજના પ્રોફેસર રાજેન્દ્ર પરમાર અને એન. એન. ગરવાળીયા.સહ પ્રધ્યાપક નોટીસ ફટકારી છે જેમાં ચૂંટણી કામગીરી દરમિયાન તેમને ઝોનલ તરીકેની ફરજ સોપવામાં આવી હતી તેમાં તેઓ દ્વારા કામગીરીમાં બેદરકારી દાખવવા તેમજ ઉચ્ચ કક્ષાએ થી આપવામાં આવતી સુચનાની ઉપેક્ષા કરવામાં આવી હોવાનું જણાવી આ બાબતે લેખિત ખુલાસો આપવા જણાવ્યું હતું

