Wednesday, May 15, 2024
HomeGujaratનવયુગ કેરિયર એકેડમી દ્વારા પોલીસ ભરતી તૈયારી અંગે માર્ગદર્શન સેમીનારનું આયોજન

નવયુગ કેરિયર એકેડમી દ્વારા પોલીસ ભરતી તૈયારી અંગે માર્ગદર્શન સેમીનારનું આયોજન

હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે PSI/ કૉન્સ્ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન નવયુગ કૅરિયર ઍકેડેમી દ્વારા તા 28 એપ્રિલને રવિવારે સવારે 9 થી 11 દરમિયાન સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ
Gidc, સનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે.આ સેમીનાર,માં મોરબીનાં યુવાન/યુવતીઓને સારું માર્ગદર્શન મળે તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું? તેમજ કયા વિષયમાં કેટલું પુછાય? તેવા અનેક પ્રશ્નોના જવાબ આ સેમિનારમાં મળશે.
સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત તેમજ મોટીવેશનલ વક્તા પ્રતિકભાઇ કાછડિયા તેમજ જગતદાન ગઢવી આ સેમિનારમાં માર્ગદર્શન આપશે. આ ઉપરાંત મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા ડીવાયએસપી સમીર સારડા પણ માર્ગદર્શન આપશે. મોરબીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેમિનારનો લાભ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,962FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW