મોરબીના વિજયનગર વિસ્તારમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિધાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય આપવામાં આવી હતી.
શૈક્ષણિક વર્ષ2023-24 પૂર્ણ થતાં હવે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનાર છાત્રો માધ્યમિક અભ્યાસ ક્રમ માટે અન્ય શાળામાં પ્રવેશ માટે જ જતાં હોય છે ત્યારે શાળાઓ બાળકોને યાદગાર વિદાય આપે છે આં યાદગીરી વિદાય મોરબીની ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં યોજાઇ હતી જેમાં ધોરણ ૮ ના વિધાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય આપી વિદાય સમયે વિધાર્થીઓ તેમજ શિક્ષિકા બહેનો રડી પડ્યા અને આચાર્ય ભરતભાઇ બી. લોહિયાની આખમાં આસુ આવી ગયા અને અમારી શાળામાથી વિદાય લઇ રહેલા અમારા ધોરણ ૮ ના વહાલા બાળપુષ્પો જીવનમાં ઉચ્ચ અભ્યાસ કરીને ખુબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી તેમજ વિધાર્થીઓને નાસ્તો અને આઇસ્ક્રીમ આપી યાદગીરી વિદાય આપી હતી