HomeGujaratમોરબીમાં મજુરીએ જવા નીકળેલા યુવકને રસ્તામાં ખેચ આવતા કેનાલમાં પડ્યો, ઈજા થતા...

મોરબીમાં મજુરીએ જવા નીકળેલા યુવકને રસ્તામાં ખેચ આવતા કેનાલમાં પડ્યો, ઈજા થતા મોત

મોરબીના કામધેનું પાછળ પચીસ વારીયા સોસાયટી આવાસ યોજનામાં રહેતા અરુણભાઈ દયાળજીભાઈ લખતરીયા નામનો યુવાન મજુરી કામ ઘરનું ગુજરાન ચલાવતો હોય ગત તા 14 ના રોજ ઘરેથી મજુરી એ જવા નીકળ્યો હતો અને આ દરમિયાન ઉમિયા સર્કલ કેનાલ પાસે બેઠા હતા. તેને ઘણા સમય થી વાય ની બીમારી હતી.વાય આવવાના કારણે ઉમિયાસર્કલ પાસે આવેલી કેનાલમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું . કોઈ વ્યક્તિ કેનાલમાં પડી જતા મોત થયું હોવાની જાણકારી મળતા લોકો એકઠા થઇ ગયા હતા અને અને મૃતકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અંગે મૃતક અરુણભાઈના પરિવાર ને જાણ થતા તેઓ હોસ્પિટલ પહોચ્યા હતા જ્યાં મૃતદેહ પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી,બનાવ અંગે મૃતકના માતા લાભુબેનના નિવેદન આધારે એ-ડીવીઝન પોલીસ દ્વારા આ અંગે અકસ્માત મોતની નોધ કરી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW