સમાજમાં અવાર નવાર અનુસુચિત પરિવારના લોકો સાથે ભેદભાવના સમાચારો આવતા હોય છે જેના કારણે સમાજ સમાજ વચ્ચે મતભેદો વધતા હોય છે આવા સમયે એક સમાજ બીજા સમાજની સ્થિતિ સમજે અને તેમનો સ્વીકાર કરે અને જ્ઞાતિ જ્ઞાતિના ભેદભાવ ઓછા થાય તે જરૂરી છે અને તેની પહેલ બન્ને તરફથી ત્યાં તે જરૂરી છે ત્યારે મોરબીમાં આવા સામાજિક સમરસતાનું ઉત્તમ કાર્ય આજરોજ જોવા મળ્યું હતું . મોરબીમાં વસતા વાલ્મિકી સમાજ ના રાજુભાઈ મોહનભાઈ પરમાર તથા ભાનુબેન રાજુભાઈ પરમાર ની લાડકવાયી પુત્રી ભુમિબેનના લગ્ન ગત તા.૧૨ એપ્રિલ ૨૦૨૪ના રોજ હોય અને આ શુભ લગ્ન અવસરે મોરબી ના ઉદ્યોગપતિ તથા સામાજિક અગ્રણી રમણીકભાઈ મુળજીભાઈ સવસાણી પરિવાર ના મહેન્દ્રભાઈ જેઓ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી છે તથા તેમના માતા ધની બેન, અશ્વિનભાઈ, જોસનાબેન ,.વૈશાલીબેન સહીત સમસ્ત સવસાણી પરિવાર દ્વારા ભુમિબેનનું મોસાળું ભરવામાં આવ્યું હતું આ શુભ અવસરે રાજુભાઈ પરમાર ના સગા વહાલા તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા

