Wednesday, May 21, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં આપઘાતની ઘટના યથાવત ત્રણ લોકોએ અલગ અલગ કારણસર જીવાદોરી ટૂંકાવી

મોરબી જીલ્લામાં આપઘાતની ઘટના યથાવત ત્રણ લોકોએ અલગ અલગ કારણસર જીવાદોરી ટૂંકાવી

મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતની ઘટના વધી રહી છે આપઘાતની મોટાભાગની ઘટનાઓમાં કારણ સામાન્ય હોય છે. ગઈકાલે અલગ અલગ સ્થળે લોકોના આપઘાતની ઘટના સામે આવ્યા બાદ બીજા દિવસે ફરી અલગ અલગ સ્થળે ત્રણ લોકોએ પોતાની જીવાદોરી ટૂંકાવી હતી અંગે કોઈ સાથે ચર્ચા કરવામાં આવે અને કાઉન્સેલિંગ થાય તો લોકોનો જીવ જતો અટકી શકે છે બનાવની મળતી માહિતી મુજબ

માતાએ વતનમાં જવાની ના પાડતા સગીરા એક ગળે ફાંસો ખાય આપઘાત કર્યો

ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ ઓશન કોટન જીનીંગ મિલની ઓરડીમાં રહેતી સગીરાને માતાએ વતનમાં જવાની ના પાડી હતી જેનું લાગી આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા નો બનાવ સામે આવ્યો છે બનાવની પ્રાપ્ત વિગત મુજબ જો વાત કરીએ તો ટંકારા ના નેકનામ પડતરી રોડ ઉપર આવેલ ઓશન કોટન જીનીંગ મિલની મિલની ઓરડીમાં રહેતા સુનીતાબેનને બાજુની ઓરડીમાં રહેતા અને ફીડરનું કામ કરતા રવિ કુમાર સાથે પ્રેમ થઈ ગયેલ હોય અને રવિ કુમાર પોતાના વતનમાં જતા હોય જેથી સુનિતાબેનને પણ સાથે જવું હોય જે બાબતે સુનિતાબેનની માતા દેવકીબેને તેની સાથે જવાની ના પાડેલ અને કહેલું કે તારી ઉંમર નાની છે અને રવિ સાથે તારે ન જવું જોઈએ જેથી રવિ પોતાના વતનમાં જતા રહેતા સુનીતાબેનને લાગી આવતા તેમને ગળેફાંસો ખાઈ જતા સગીરાનું મોતની બચ્યું હતું. જોકે બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી હતી

સગાઈ નક્કી થઈ ગયા બાદ છોકરી પસંદ ન આવતા યુવાને ગળે ફાંસો ખાય મોતને વ્હાલું કર્યું

મોરબી ના ઘુટુ રોડ ઉપર આવેલ સિલ્ક સીરામીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાય યુવકે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે બનાવની પ્રાપ્ત વિગત મુજબ જો વાત કરીએ તો મોરબીના શિલ્પ સીરામીક જૂના ઘૂટું રોડમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશ ના ધાર જિલ્લા ના ખરબારી ગામના વતની કૃષ્ણ રાયસીંગ મછાર નામના 18 વર્ષના યુવાનની સગાઈ કરવાનું નક્કી કરેલ હોય પરંતુ આ યુવાનને છોકરી પસંદ ન હોય જેથી મનમાં લાગી આવતા ગત તારીખ 9 ના રોજ પોતાની જાતે ગળેફાસો ખાઈ આપઘાત કરતા યુવકનું મોત નીપજ્યું હતું. જોકે, સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે મૃત્યુની નોંધ કરી અને તપાસ હાથ ધરી છે

પતિના ત્રાસથી કંટાળી જઈને પરણીતાએ આપઘાત કર્યો

મોરબીમાં પતિના ત્રાસથી કંટાળી જઈને પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર નજીક પ્રજાપત નડિયાના કારખાના પાછળ વિસ્તારમાં રહેતા વજીબેન ભીખાભાઈ આધરોજીયા નામના 70 વર્ષીય મહિલાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જે મુજબ મોરબી સેન્ટ મેરી સ્કૂલ વિસ્તાર નજીક રહેતો અલ્પેશ લાલાભાઇ કુંઢીયા અને તેના જમાઈ થતા હોય ગત તારીખ 8 ના રોજ જમાઈ અલ્પેશ અવાર નવાર વજીબેનની દીકરી સુનીતાબેનને વગર કારણે પોતાના માવતરે તેમ જ આવવા જવા નહીં દઈ સગાવાલા પાસે રૂપિયાની મદદ લેવાનું કહેતા સુનિતાબેન રૂપિયાની મદદ લેવાની ના પાડી હતી જેથી આ અંગે સારું નહીં લાગતા સુનીતાબેન સાથે ઝઘડો કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી ટોચર કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા પોતાના પતિ અલ્પેશભાઈ થી કંટાળી જઈ સુનિતા બેને ગળેફાંસો ખાઈ આપઘાત કરવાં મજબુર થઇ હતી બનાવ અંગે આરોપી પતિ સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
52,041FollowersFollow
2,900SubscribersSubscribe

TRENDING NOW