આજના સમયમાં યુવાનો હોય કે વડીલો મોટા ભાગના લોકો તમાકુ પાન માવા સિગારેટ સહિતના અલગ અલગ વ્યસનના આદિ થઇ ગઈ છે કેટલાય લોકો દારૂના રવાડે પણ ચઢી પોતાનું જ આરોગ્ય જોખમમાં મૂકી રહ્યા છે એસટી બસ ચલાવતા અનેક ડ્રાઈવર અને કંડકટર પણ પાન માવા સહીતના અલગ અલગ વ્યસન કરતા હોય્ છે ત્યારે આ એસટી કર્મીઓ વ્યસનથી દુર રહે તે માટે મોરબીમાં એસ ટી ડેપો મેનેજર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી બહેનોએ એસટી કર્મીઓને વ્યસનથી શરીર અને આર્થીક એમ બન્ને રીતે કેટલું નુકશાન થાય તે વિશે સમજણ આપી હતી આ તકે મોરબી એસટી ડેપો મેનેજર અનિલભાઈ પઢારિયા તેમજ એસટી કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હ્તા

