ટંકારા તાલુકાના જબલપુર નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં સરકારી વાહન ડીવાઈડર કુદીને સામેની સાઈડ જતા બાઈક પર ચડી ગઈ હતી જે અકસ્માતમાં એકનું મોત થયું હતું જયારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે
સરકારી વાહન ડીવાઈડર કુદીને સામે સામેના રોડ પર જતા બાઈક પર ચડી ગઈ હતી જે અકસ્માતમાં સાલેમામદ ઓસમાણ ખેર (ઉ.વ.50) રહે મૂળ નલીયા ભુજ હાલ રહે ટંકારા વાળાનું મોત થયું હતું જયારે સુરેશ નાનજીભાઈ પટેલ રહે રાજકોટ કાલાવડ રોડ વાળાને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા બનાવ મામલે ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે

