HomeGujaratછાત્રોને ભૌગોલિક સ્થાન વિશે માહિતગાર કરવા બિલિયા શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન

છાત્રોને ભૌગોલિક સ્થાન વિશે માહિતગાર કરવા બિલિયા શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન

મોરબીની સરકારી શાળાઓ અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ત્યારે બિલિયા પ્રાથમિક શાળામાં વધુ એક પ્રવૃત્તિ યોજવામાં આવી, વિદ્યાર્થીઓ વાંચેલું ભુલી જતા હોય છે, જોયેલું સમજાઈ જતું હોય છે પણ જાતે કરેલું જાતે હરહંમેશ યાદ રહી જાય છે એવા હેતુ સાથે બિલિયા પ્રાથમિક શાળાએ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે અત્રે યાદ રહે કે પ્રવાસનું આયોજન સામાન્ય રીતે ચાલુ શૈક્ષણિક દિવસોમાં થતું હોય છે પણ બિલિયા શાળાના શિક્ષકોએ ચાલુ દિવસોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડે નહીં એવા શુભાષય સાથે હાલ મોરબી તાલુકામાં મહર્ષિ દયાનંદની 200 મી જન્મ જ્યંતીની ઉજવણીના ઉપક્રમે રજાઓ જાહેર કરેલ હોય રજાના દિવસોમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવતા સ્થળોનું પ્રત્યક્ષ શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ગીરનાર, ઉપરકોટનો કિલ્લો, અડચડી વાવ,નવઘણ કૂવો, પ્રાણી સંગ્રાહાલય,કાગવડ,જલારામ મંદિર વીરપુર વગેરે સ્થળોની મુલાકાત કરાવી,ઇતિહાસ વિષયમાં આવતા ઐતિહાસિક સ્થળોની વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ મુલાકાત કરાવી હતી.તમામ સ્થળોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ ખુબજ રોમાંચિત થયા હતા,આનંદિત થઈ હતા શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા કિરણભાઈ કાચરોલા પ્રિન્સિપાલ, તેમજ તમામ શિક્ષકગણે ખુબજ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW