લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દેશના રાજકીય પક્ષ દ્વારા સંગઠનને મજબુત કરવાના પ્રયાસ શરુ કરી દેવાયા છે અને તેને લઇ અલગ અલગ પક્ષો દ્વારા અલગ અલગ મોરચા અને વિવિધ સેલ સંગઠનના હોદેદારો નીમવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સંગઠન દ્વારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના અલગ અલગ રાજ્યના ચેર પર્સનની નિમણુક કરવામાં આવી રહી છે જે અ અંતર્ગત દેશના ચાર રાજ્ય ગુજરાત ઝારખંડ ઉતરાખંડ આંધ્ર પ્રદેશ તેમજ મુમ્બઈ એમ અલગ અલગ રાજ્યના રાજીવ ગાંધી પંચાયતી રાજના ચરપર્સનના નામની જાહેરાત કરી છે જેમાં ગુજરાત રાજ્યના રાજીવ ગાંધી પંચાયતી રાજના ચેર પર્સન તરીકે કાંતિલાલ ડી બાવરવાંની નિમણુક કરવામાં આવી છે