વાંકાનેર શહેર નજીક આવેલા લીંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્વસ્થા બોર્ડના લીંબાળા હેડવર્ક ખાતેના પંપીંગ સ્ટેશનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ખાતેના પંપીંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી ચાલુ ટ્રાન્સફોર્મર 400 કે.વી.એ. માંથી આશરે 500 કીલો કોપર વાયર તથા સ્પેર ટ્રાન્સફોર્મર -250 કે.વી.એ..માંથી આશરે 300 કીલો કોપર વાયર મળી કુલ ૮૦૦ કીલો કોપર વાયર મળી રૂ 4લાખ 80 હજારનો મુદામાલ ચોરી થયો હતો ઘટના બાદ ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્વસ્થા બોર્ડના કોન્ટ્રાકટર મુકેશભાઇ ભગવાનજીભાઇ મારવાણીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

