દેશના પ્રથમ કાયદામંત્રી અને દેશના બંધારણ ઘડવામાં મહત્ડૉવની ભૂમિકા ભજવનાર ડૉ બી આર આંબેડકરજીના પરીનિર્વાણના 67 વર્ષ પૂર્ણ થતા આજે દેશભરમાં પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેરમાં અનુસૂચિત જાતિ મૂળ નિવાસી સંઘ દ્વારા નેહરૂગેટ ચોકથી નગરપાલિકા કચેરી ખાતે આવેલી ડૉ આંબેડકરજીની પ્રતિમા સુધી કેન્ડલ સાથે ધમ્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો સહિત મોટી સંખ્યમાં શહેરીજનો જોડાયા હતા ડૉ આંબેડકરજીની પ્રતિમાએ શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

