તા.28-10-2023 ને શનિવાર નાં રોજ શરદ પૂનમ નિમિત્તે રાત્રીનાં 9 વાગ્યાથી રાસ ગરબા નું વિશેષ આયોજન રામેશ્વર ઢોલ ત્રાંસા મંડળ – નાનાભેલા યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે. તો મોરબી શહેરમાં તેમજ આસપાસનાં ગામોમાં રહેતાં સર્વે નાનાભેલાનાં વતનીઓને આ વિશેષ પ્રસંગે પોતાના માદરે વતન ખાતે રાસ ગરબામાં હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરવા ખાસ આમંત્રણ છે. ગરબા રાસ માં ભાઈઓને કોઈ પણ કલરના કુરતો પહેરીને આવવા વિનંતી છે.

