HomeGujaratમોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પદયાત્રીઓને ઠંડાપીણાનું વિતરણ

મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પદયાત્રીઓને ઠંડાપીણાનું વિતરણ

નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા કચ્છમાં આવેલ આશાપુરા મંદિરનાં દર્શને જતા હોય છે. ત્યારે અનેક સેવાભાવી સંસ્થા દ્વારા નિઃશુલ્ક સેવા કેમ્પ કરવામા આવે છે.

ત્યારે મોરબીમાં અનેક સેવાકીય પ્રવૃતિઓથી જાણીતું બનેલું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા આ વખતે આશાપુરા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ઠંડાપીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મોરબીથી ભચાઉ સુધી બોલેરો ગાડી લઈને અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યોએ પદયાત્રીઓને ઠંડાપીણાની બોટલો વિતરણ કરી હતી. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના મુકેશભાઈ આંખજા, બ્રિજેશભાઈ, નવલભાઈ હર્ષદભાઈ, જગદીશભાઈ સહિતના ગ્રુપના સભ્યો જોડાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW