મોરબીમાં ભગવાન ગણેશના પૂજન અર્ચનનો પર્વ એવા ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં લોકો દ્વારા અલગ અલગ નામથી ગણેશજીની સ્થાપના કરી તેની પુજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને આયોજકો દ્વારા દરરોજ અલગ – અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવ ના પાચ મા દિવસે વૃદ્ધાશ્રમ ના વડીલો એ આરતી નો લાભ લીધો હતો તેમજ ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા વડીલો ને ભગવદ ગીતા ધાર્મિક પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા. તો એપૂર્વે નાના બાળકોના ગમ્મત માટે જાદુગર શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું

