ટંકારામાં લવ જેહાદના વધતા કિસ્સાઓને પગલે હિંદુ સમાજમાં રોષની લાગણી ભભૂકી રહી છે તાજેતરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો બનતા પરિવારે ગ્રામજનોને સાથે રાખી આવેદન પાઠવ્યું હતું તો સોમવારે અડધો દિવસ સ્વયંભુ બંધનું એલાન કરવામાં આવ્યું છે તેમજ વિશાલ રેલી યોજી આવેદન પાઠવવામાં આવશે
ટંકારા પંથકમાં લવ જેહાદના કિસ્સાઓ ચિંતાજનક હદે વધી રહ્યા છે તાજેતરમાં આવો એક કિસ્સો બન્યો હતો જેમાં લવ જેહાદનો ભોગ બનેલ યુવતીના પિતાએ પીએસઆઈને તાજેતરમાં લેખિત અરજી કરી જણાવ્યું હતું કે ટંકારામાં રહેતા વિધર્મી વસીમ ખલીફા નામનો મુસ્લિમ ઇસમ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જે તાજેતરમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે જે અરજદારની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે અને ધર્મ પરિવર્તન કરાવી દેશે તેવી દહેશત વ્યક્ત કરી છે જેથી વિધર્મી વિરુદ્ધ લવ જેહાદના કાયદા મુજબ કાર્યવાહી કરવા માંગ કરી હતી યુવતીના પિતાની અરજીહોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હિંદુ સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે જેથી સોમવારે અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં વેપારીઓ સ્વયંભુ બપોર સુધીના બંધમાં જોડાશે એટલું જ નહિ ૧૦ કલાકે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતેથી મહા રેલી યોજી મામલતદાર ટંકારાને આવેદન પાઠવવામાં આવશે

