મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કેન્સરના દર્દીઓના નિદાન માટે મોરબીના વિશા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી દ્વારા દર બે મહીને કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અગામી ૨અને ૩ સપ્ટેબરના રોજ નવા ડેલા ખાતે આવેલા ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે સ્વ રેશ્માબેન પ્રફુલભાઈ દોશીન(હીનાબેન દેવેન્દ્રભાઈ મહેતાના સ્મરણાર્થે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નિદાન કેમ્પમાં મુંબઈ ના કેન્સર નિષ્ણાત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરનાદ દર્દીઓને તા 2 ના રોજ સાંજે 4 થી 7 અને તા ૩ ના રોજ સવારે 9 થી 12 દરમિયાન નિશુલ્ક તપાસી માર્ગદર્શન આપશે.આ કેમ્પનો લાભ લેવા માંગતા દર્દીઓને તેમના ના ડીસ્પેન્સરી મેનેજર મયુરભાઈ વોરાને મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ પર અગાઉથી નોધાવવાના રહેશે તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહે જણાવ્યું હતું

