HomeGujaratમોરબીના મહેન્દ્રનગર નજીક વૃધ્ધાનો મૃતદેહ મળ્યો આપઘાત કે અકસ્માત તપાસ શરુ

મોરબીના મહેન્દ્રનગર નજીક વૃધ્ધાનો મૃતદેહ મળ્યો આપઘાત કે અકસ્માત તપાસ શરુ

મોરબી શહેરને અડીને આવેલા મહેન્દ્રનગર ગ્રામ પંચાયત પાસેની કાલીન્દ્રી નદીમાં એક મહિલા પડી ગઈ હોવાનો મોરબી ફાયર વિભાગની ટીમને કોલ આવતા મોરબી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને મહિલાના મૃત દેહની શોધખોળ કરી હતી લાંબા સમયની જહેમત બાદ મહિલાનો મૃતદેહ મળ્યો હતો અને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણથતા બી ડીવીઝન પોલીસની ટીમ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ વિજયાબેન પ્રભુભાઈ પડ્સુંબીયા ઉવ 60 અને મહેન્દ્રનગર ગામ નજીક પ્રભુ કૃપા સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું ઘટના અંગે જાણ થતા પરીવારજનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી હતી. મહિલાના મોત અંગે કોઈ કારણ સામે આવ્યું નથી હાલ આ બનવ અકસ્માત છે કે આપઘાત તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW