મોરબીના આમરણ ખાતે આવેલ ગૌ શાળામાં લમ્પી વાયરસમાં 29 ગાય અને એક નંદીનું મોત થયું હતું.ગાયના મોતને પગલે તેમની આત્માની શાંતિ માટે આમરણ ગૌ શાળાના સંચાલકો દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તા 19 માર્ચના સવારે 11 વાગ્યે હવન શરૂ થશે યજ્ઞમાં આહુતિ આપી ગૌ શાળામાં મ્રત્યુ પામેલ ગૌ માતા અને નંદી મહારાજ ઉપરાંત અન્ય સ્થળે પણ જ્યાં ગૌ માતાના લમ્પી વાયરસથી મોત થયા હતા તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવશે.

