હળવદના આનંદ નગરમાં રહેતા વેપારી આધેડ હિમતભાઇ મગનભાઇ ચાવડાએ તેમની જ્ઞાતિ ના એક ફેસબુક પેજમાં પોસ્ટ કરી હતી જેમાં તેમના સમાજના હાલના ટ્રસ્ટી બદલવાની વાત કરી હતી આ વાતથી રાજકોટના યશ ધર્મેન્દ્રભાઇ રાઠોડ નામના શખ્સને ખોટું લાગી ગયું હતું અને તેનો ખાર રાખી હિમતભાઈને ફોન કરી આવી પોસ્ટ કેમ કરો છો તેમ કહી તેમની સાથે ગાળા ગાળી કરી હતી અને હિમતભાઈ તેમજ અન્ય એક વ્યક્તિનું રાશન કાર્ડમાંથી નામ કાઢી નાખવાનું કહી જાનથી મારી નાખવાની તેમ ગર્ભિત ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ધર્મેન્દ્રભાઈ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

