મોરબી શહેરના માધાપર થી જડેશ્વર જવાના રસ્તે ચાલીને જતા હસમુખભાઈ ટપુભાઈ રાઠોડ નામની વ્યક્તિ ચાલીને જતી હતી તે દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લીધા હતા બનાવમાં હસમુખભાઈને ગંભીર ઈજા પહોચાડી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો ગંભીર હાલતમાં હસમુખભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં મૃતકના ભાઈ બળવંતભાઈ ટપુભાઈ રાઠોડ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે વાહન ચાલક વિરુદ્ધ આઈપીસી 279, 337 અને 304 અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

