મોરબીના ગોકુલ મથુરા સોસાયટી ખાતે જુલતા પુલની દુર્ઘટનાનામાં મૃત્યુ પામેલ મૃતાત્માઓની શાંતિ અને મોક્ષાર્થે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સોસાયટીના રહીશો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ આં દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 135થી વધુ લોકોના આત્માને શાંતિ મળે તેમજ જે જે પરિવારોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તેમને આ દુખની ઘડી સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી
ગોકુલ મથુરા ઉપરાંત મોરબીમાં જિલ્લા જેલ પ્રસાશન,જિલ્લા પોલીસ વિભાગ જિલ્લા વહીવટી તંત્ર પાલિકા મોરબી જીલ્લાની સિવિલ હોસ્પિટલ આરોગ્ય વિભાગ તેમજ અલગ અગલ સામાજિક સંસ્થાઓ દ્વારા મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી

