મોરબીની ઐતિહાસિક ધરોહર એવી મણીમંદિરની બાજુમાં આવેલ (ગોસપાક) મોટાપીરની દરગાહ પાસે કથિત રીતે ગેરકાયદે બાંધકામ થયા હોવાના આક્ષેપો બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત મોટાપીરની દરગાહની જગ્યાને ગેરકાદેસર કબ્જો ગણી દરગાહનાં મુજાવારના વિરુધ્ધ લેન્ડગ્રેબિંગ નાં કાયદા હેઠળ ગુનો નોંધી નોંધવામાં આવી હતી. જે બાદ મુજાવર હાસમશાહ ફકીરની અમદાવાદ એરપોર્ટ થીજ મોરબી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી
આ મુદ્દે હાસમશાહ જાફરશાહ ફકીર વતી એડવોકેટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં મૂળભૂત અધિકારનાં હનન માટે સ્પેશિયલ ક્રિમીનલ એપ્લિકેશન દાખલ કરી ઇન્વીસ્ટીગેસન તેમજ પ્રોસીડિંગ પર સ્ટે. માટે અરજ કરેલ હતી અને તેની બન્ને પક્ષની દલીલ આધારે હાલ ગુજરાત હાઇકોર્ટે ઇન્વેસ્ટિગેશન અને પ્રોસીડીગ પર સ્ટે આપ્યો હતો

