HomeReligionપરિણામ મોટું અને શ્રેષ્ઠ જોઈતું હોય તો પુરુષાર્થ છોડતા નહીં

પરિણામ મોટું અને શ્રેષ્ઠ જોઈતું હોય તો પુરુષાર્થ છોડતા નહીં

જીવનમાં પ્રચંડ પુરુષાર્થ જ્યારે થાય ત્યારે એનું પરિણામ ખૂબ મોટું આવે છે. પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવનમાં દરરોજ એક કામ કરતા એ પછી રવિવાર હોય કે શનિવાર. એમના નામે લખાયેલા કુલ 70 પત્રો તેઓ દરરોજ વાંચતા. ન માત્ર વાંચવાની વાત પરંતુ એમના જવાબ પણ એ જ સમયે આપતા. આ માણસે પોતાના જીવનમાં સન્ડે ઈઝ હોલી ડે 45 વર્ષ સુધી જોયા જ નથી.

ઇંગ્લેન્ડ, કેનેડા અને અમેરિકાની પાર્લામેન્ટમાં આ વ્યક્તિને સ્ટેન્ડિંગ ે. ઓવીએશન મળ્યું છે. આ કંઈ એક દિવસનો ખેલ નથી. જેને આખી દુનિયા યાદ રાખે એવા સારા કામ કરવા માટે પ્રચંડ પુરુષાર્થ જરૂરી નહીં પણ અનિવાર્ય છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે જ્યારે વિઝન સ્પષ્ટ હોય ત્યારે માર્ગમાં મુશ્કેલીઓ એટલી બધી ભારે નથી લાગતી. પ્રમુખસ્વામી મહારાજને એક વખત એવું પૂછવામાં આવ્યું કે તમને કેવા વિચાર ક્યારેય નથી આવ્યા. એમનો જવાબ એવો હતો કે જ્યારે કોઈનું અહીં થાય એવા વિચાર ક્યારેય મારા મગજમાં આવ્યા જ નથી. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમને આનંદ કઈ વાતનો છે. ત્યારે તેમણે કહ્યું જીવનમાં પુણ્ય કમાયા એનો આનંદ છે. હાવર્ડ યુનિવર્સિટી નો એક સર્વે એવું કહે છે કે જ્યારે તમે તમારી શુદ્ધ ભાવનાથી તમારું કામ કરો છો એટલે કે કોઈ પણનું અહીંત ઈચ્છા વગર કામ કરો છો ત્યારે કેટલાક નેચરલ રિસોર્સીસ તમારી તરફ આકર્ષાય છે.

જ્યારે કામ પ્રત્યેની જીવનભવના ગંગા નદી જેવી શુદ્ધ અને પવિત્ર હશે ત્યારે માણસ તો શું મનીના રિસોર્સ પણ સામેથી તમારો એપ્રોચ કરશે. આ સિવાય પણ એ દ્રષ્ટિકોણ કેળવી લો કે જ્યારે જીવનમાં કરેલા કામનો આનંદ લેવો હોય તો જીવનમાં દ્રષ્ટિ તમારા લક્ષ્ય પરથી હટવી ન જોઈએ. શું વખત વિચારીને એક વાત નક્કી કરવી પરંતુ 100 વખત નક્કી કરેલી વાત જ્યારે તમે શરૂ કરો ત્યારે હજારો વિઘ્ન આવે તો પણ છોડવાની નહીં અને અટકવાનું નહીં. વિજ્ઞાન અને પ્રશ્નો જીવનમાં તો આવ્યા કરે પરંતુ ત્યાં કોઈ માનસિકતાણ ફીલ કરવાની જરૂર જ નથી. જીવનમાં ધ્યેય પરથી જ્યારે તમારી દ્રષ્ટિ હટે છે ત્યારે જ વિઘ્ન દેખાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,250SubscribersSubscribe

TRENDING NOW