ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં મેઘરાજાની અવિરત કૃપા વરસી હતી જેના પગલે ખેડૂતોએ મોટા પાયે ચોમાસું પાકનું વાવેતર કર્યું હતું જોકે ગ્રામ્ય પંથકમાં પાછળથી પડેલા વરસાદને પગલે મોરબી માળિયા તાલુકાના અનેક ગામમાં વરસાદી પાણી ખેતરમાં ભરાઈ ગયા હતા જેના કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયું હોવાના ખેડૂતો દાવા કરી રહ્યા છે અને સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે ત્યારે મોરબી માળિયા પંથકના ગોર ખીજડીયા રાજપર કુન્તાસી,બગથળા,માણેકવાડા,દેરાળા, જેપુર બિલિયા માનસર સહિતના 7 ગામના સરપંચ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજૂઆત કરી છે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વધુ વરસાદ થવાથી ખેતરમાં પાણી સતત ભરાયેલ રહેતા ચોમાસું પાક નિષ્ફળ ગયું છે જેથી આ ગામના ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી વળતર ચુકવે તેવી માંગણી કરીન હતી.

