મોરબીના નીચી માંડલ ગામમાં રહેતા લીલાવતીબેન રામજીભાઈ દેત્રોજા નામના 75 વર્ષના વૃધ્ધાને છેલ્લા દોઢ વર્ષથી કમરના નીચેની ગાદીના ભાગે દુખાવો રહેતો હોય તેમજ પગમાં પણ અવારનવાર સોજો રહેતો હોવાથી ચાલી શકતા ન હોય a ઉપરાંત બ્લડપ્રેશર અને અન્ય નાની મોટી બીમારી હતી સારવાર ચાલતી હોવા છતાં તેઓને તકલીફ સહન ન થતા લીલાવતીબેને કંટાળી જઈ ઝેરી દવા પી લીધી હતી જે બાદ પરિવારજનો ગંભીર હાલતમાં વૃદ્ધાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તેમનું મોત થયું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

