HomeGujaratહિમાચલમાં મેઘરાજાનું રૌદ્રરૂપ, પૂર અને ભૂસ્ખલનથી તારાજી

હિમાચલમાં મેઘરાજાનું રૌદ્રરૂપ, પૂર અને ભૂસ્ખલનથી તારાજી

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓએ વિનાશ સર્જ્યો છે. અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

જ્યારે પૂર સંબંધિત ઘટનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગના નિર્દેશક સુદેશ કુમાર મોક્તાએ જણાવ્યું હતું કે એક જ પરિવારના આઠ સભ્યો સહિત ઓછામાં ઓછા 22 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાઓમાં અન્ય પાંચ લોકો ગુમ છે. સમગ્ર દેશની વાત કરીએ તો વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડ અને ઓડિશામાં ચાર-ચાર અને ઝારખંડમાં એકનો સમાવેશ થાય છે.

743 રસ્તાઓ પર ટ્રાફિક અવરોધાયો

તેમણે કહ્યું કે સૌથી વધુ નુકસાન મંડી, કાંગડા અને ચંબા જિલ્લામાં જોવા મળ્યું છે. અવિરત વરસાદને કારણે રાજ્યમાંથી અત્યાર સુધીમાં 36 હવામાન વિભાગની ઘટનાઓ નોંધાઈ છે. તેમણે કહ્યું કે મંડીમાં મનાલી-ચંદીગઢ નેશનલ હાઈવે અને શોગીમાં શિમલા-ચંદીગઢ હાઈવે સહિત 743 રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનર અરિંદમ ચૌધરીએ જણાવ્યું હતું કે એકલા મંડીમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂર અને ભૂસ્ખલનમાં 13 લોકોના મોત થયા હતા અને પાંચ ગુમ થયા હતા. ગોહર ડેવલપમેન્ટ બ્લોકના કશાન ગામમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને પોલીસ દ્વારા ચાર કલાકના લાંબા સર્ચ ઓપરેશન પછી એક પરિવારના આઠ સભ્યોના મૃતદેહ તેમના ઘરના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW