આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતભરમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકાના ખેવાળીયા ગામના સરપંચ સહિતના યુવાનોએ સ્વાતંત્ર્ય પર્વના દિવસે ગામમાં 75 વૃક્ષો વાવીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો હતો.

76 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે મોરબી તાલુકાના ખેવાળીયા ગામે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગામના સરપંચ વિશાલભાઈ કનોજીયા, સદસ્ય મુકેશભાઈ શેરસીયા, યુવાનો, ખેવાળીયા પ્રાથમિક શાળાના શિક્ષકો તથા પંચાયતની બોડીએ સાથે મળીને સ્વખર્ચે 75 વૃક્ષો વાવ્યા હતા અને તમામ વૃક્ષોનો ઉછેર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

