HomeGujaratજામનગર નજીક પાંચ માળની હોટલમાં આગ ફાટી નીકળી, 27નો બચાવ થયો

જામનગર નજીક પાંચ માળની હોટલમાં આગ ફાટી નીકળી, 27નો બચાવ થયો

ગુજરાતના જામનગર શહેર નજીક એક પાંચ માળની હોટલમાં ગુરુવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળતાં 27 લોકોને બચાવી લેવાયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે આગને કારણે હોટલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આગ સાંજે 7.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ અને ઝડપથી ફેલાઈ ગઈ.

આખોટેલના કુલ 36 રૂમમાંથી 18 રૂમમાં 27 લોકો રોકાયા હતા. પોલીસે તમામ 27 લોકોને બચાવ્યા હતા. હોટલનો તમામ સ્ટાફ પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પાંચ ફાયર ટેન્ડરોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષકે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી અને હોટલની બહાર ઉપયોગમાં લેવાતી સુશોભન સામગ્રીને કારણે તે ઝડપથી ફેલાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW