HomeNationalઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક રૂટ બંધ, વીજ પુરવઠો ખોરવાયો

ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક રૂટ બંધ, વીજ પુરવઠો ખોરવાયો

ઉત્તરાખંડમાં 166 અને હિમાચલ પ્રદેશમાં 36 રસ્તાઓ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને કાટમાળને કારણે બંધ પડી ગયા છે. બીજી તરફ, ઉત્તરકાશીમાં ભારત-ચીન સરહદ પર નેલોંગ ઘાટીમાં પેટ્રોલિંગ દરમિયાન ભૂસ્ખલનને કારણે એક સૈનિક શાહિદ થયા છે.

એકને ઇજા: એક સૈન્ય અધિકારીને ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ઉત્તરાખંડમાં મંગળવારે કુલ 72 રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા, જ્યારે એક દિવસ પહેલાથી 157 રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા.

વીજ પુરવઠો ખોરવાયો: બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે 117 ટ્રાન્સફોર્મર પણ અટવાઈ પડ્યા છે. 20 પાણી પુરવઠા યોજનાઓ બંધ છે. રાજ્યમાં 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW