HomeNationalહું ચીનના મુદ્દે નેહરુની ટીકા નહિ કરું, પોલિસી ખોટી હોય શકે ઇરાદા...

હું ચીનના મુદ્દે નેહરુની ટીકા નહિ કરું, પોલિસી ખોટી હોય શકે ઇરાદા નહિ

સુરક્ષા મંત્રી રાજનાથ સિંહ કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોની વચ્ચે હાજર રહ્યા હતા. તારીખ 24 થી 26 જુલાઈ દરમિયાન કારગિલ યુદ્ધ સ્મારક ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

શહીદોને સલામ: આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘આજે આપણે દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને યાદ કરીએ છીએ. 1999 ના યુદ્ધમાં આપણા ઘણા બહાદુર સૈનિકોએ પોતાનો જીવ આપ્યો, હું તેમને નમન કરું છું.

હું સવાલ કરવા નથી માગતો: રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, ‘1962માં ચીને લદ્દાખમાં અમારા વિસ્તાર પર કબજો જમાવ્યો હતો. ત્યારે પંડિત નેહરુ આપણા દેશના વડાપ્રધાન હતા. હું તેમના ઈરાદા પર સવાલ નહીં ઉઠાવું. ઈરાદા સારા હોઈ શકે છે, પરંતુ આ નીતિઓને લાગુ પડતું નથી. હું પણ એક ચોક્કસ રાજકીય પક્ષમાંથી આવું છું, પરંતુ હું ભારતના કોઈપણ વડાપ્રધાનની ટીકા કરવા માંગતો નથી. આપણે કોઈની નીતિઓની ટીકા કરી શકીએ છીએ, પરંતુ કોઈના ઈરાદા પર સવાલ ઉઠાવી શકતા નથી. જો કે, આજનો ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંનો એક છે.
રાજનાથ સિંહે કહ્યું કે 1962માં અમારે જે પરિણામો ભોગવવા પડ્યા તે દેશ સારી રીતે જાણે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW